પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લિખિત 'એકઝામ વૉરિયર્સ'ની સંવર્ધિત ગુજરાતી આવૃત્તિનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા વિમોચન

Jan 20, 2023 - 11:32
 13
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લિખિત 'એકઝામ વૉરિયર્સ'ની સંવર્ધિત ગુજરાતી આવૃત્તિનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા વિમોચન

પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી લિખિત પુસ્તક 'એકઝામ વૉરિયર્સ' ની નવી અને સંવર્ધિત ગુજરાતી આવૃત્તિનું રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતએ આજે રાજભવનમાં વિમોચન કર્યું હતું. તેમણે કહ્યું કે, પુસ્તક હવે માત્ર પુસ્તક રહેતાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો; સૌ કોઈ માટે ભણતરની પરીક્ષા અને ભાવિના પડકારો સામે એક મિત્ર અને માર્ગદર્શક બન્યું છે,'એક્ઝામ વૉરિયર્સ' ની નવી-સંવર્ધિત ગુજરાતી આવૃત્તિના આમુખમાં 'લેખકની નોંધ'માં પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ લખ્યું છે કે, "બાળપણ તાણ અને ચિંતાઓથી ઘેરાયેલું તો નથી સુનિશ્ચિત કરવું આપણી સામૂહિક ફરજ છે. હું આશા રાખું છું કે તમને 'એક્ઝામ વૉરિયર્સ' વાંચવામાં એટલી મજા આવશે જેટલી મને લખવામાં આવી છે."

પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2018માં 'એકઝામ વૉરિયર્સ' પુસ્તક લખ્યું હતું. સાવ સરળ ભાષામાં, સંવાદાત્મક શૈલીમાં લખાયેલું પુસ્તક સુંદર ચિત્રો, સ્વાધ્યાય અને યોગ આસનોની સચિત્ર માહિતીને કારણે અત્યંત આકર્ષક બન્યું છે.

  પુસ્તકની માંગ, ઉપયોગિતા અને લોકપ્રિયતાને ધ્યાને લઈને નેશનલ બુક ટ્રસ્ટે ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના સહયોગમાં રહીને ભારતની આસામી, બાંગ્લા, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ, તેલુગુ, ઉર્દુ અને ગુજરાતી એમ કુલ 11 ભાષાઓમાં પ્રકાશિત કર્યું છે. પુસ્તક બ્રેઈલ લિપિમાં પણ
ઉપલબ્ધ છે.

 અહીં ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદી વર્ષ 2018 થી વાર્ષિક પરીક્ષાની સિઝનમાં વિદ્યાર્થીઓ સાથે 'પરીક્ષા પે ચર્ચા' કરે છે. આગામી તારીખ 27મી જાન્યુઆરી 2023 ના રોજ પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદી નવી દિલ્હીના તાલ કટોરા ઇન્ડોર સ્ટેડિયમ ખાતેથી 'પરીક્ષા પે ચર્ચા' કરશે. અત્યાર સુધીમાં 38 લાખ જેટલા છાત્રો, શિક્ષકો અને વાલીઓએ આગામી 'પરીક્ષા પે ચર્ચા'  માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow